Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

પોરબંદરના એડવોકેટ અને સેવાભાવી ભરતભાઇ લાખાણીનો જન્મદિન

પોરબંદર : સવાસો વર્ષ કરતા પણ વધારે સમયથી પેઢી દર પેઢી વકીલાતના ઉમદા વ્યવસાય સાથે સંકળાયેલા અને 'લાખાણી' પરિવારના પાંચમી પેઢીના જાણીતા એડવોકેટ અને સેવાભાવી ભરતભાઇ લાખાણીનો આજે પ૩મો જન્મ દિવસ છે. તેઓ ખૂબ જ સરળ, સહજ વ્યકિતત્વ ધરાવતા હોવાના કારણે મોટુ મિત્ર સર્કલ ધરાવે છે. અનેક સેવા ક્ષેત્રે સાથે સંકળાયેલ હોવાના કારણે કે જેમાં ચેમ્બર ઓફ કોમર્સમાં સેક્રેટરી, વકીલ મંડળમાં ઉપપ્રમુખ, લીઓ પાયોનીયર સંસ્થાના ચેરમેન, લોહાણા બાળાશ્રમના સેક્રેટરી, સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ, સન્યાસી આશ્રમ ટ્રસ્ટ, રાધેશ્યામ મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે તથા પૌરાણીક કેદારેશ્વર મંદિરના મુખ્ય સંચાલક અને તેઓ માને છે કે, 'મનમાં ભરીને જીવવું એના કરતા મન ભરીને જીવવું' મિત્રો શુભેચ્છો તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(10:22 am IST)