Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

જનસેવા ટ્રસ્ટના માધ્યમથી સેવાની સુવાસ પ્રસરાવતા અજયભાઇ વખારીયાનો જન્મદિન

રાજકોટ,તા. ૨૪: જનસેવા ટ્રસ્ટનાં પ્રમુખ અજયભાઇ વખારીયાનો આજે જન્મદિવસ છે. તેઓ રાજશ્રી સીનેમા પાસે વખારીયા પ્રિન્ટિંગ પ્રેસનો વ્યવસાય ધરાવે છે. જનસેવા ટ્રસ્ટ દ્વારા ગરીબ દર્દીઓને નાત જાતનાં ભેદભાવ વગર મેડીકલને લગતી સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે. તેમજ બ્લડ ડોનેશન કેમ્પ અને શિયાળામાં ધાબળા પણ વિતરણ કરવામાં આવે છે. જનસેવા ટ્રસ્ટ દ્વારા તેઓની ઓફીસે દરરોજ સાંજે ૬ થી ૮ દરમ્યાન દર્દીઓ મળવા આવે છે. જૈન ક્રાંતિ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી જૈનોના લગભગ ૧૭૫ જરૂરીયાતમંદ કુટુંબોને દર મહીને કરીયાણું આપવામાં આવે છે. જૈન સાધાર્મિક સેવા સમિતિ દ્વારા કીડની ફેઇલ્યોરનાં દર્દીઓને નાતજાતનાં ભેદભાવ વગર મદદ કરે છે તેમાં પણ તેઓ સેવા આપી રહ્યા છે. રાજકોટ જૈન વાત્સલય જ્ઞાનવર્ધક મહાસંઘ જૈનોનાં કુટુંબોને શૈક્ષણિક ક્ષેત્રે મદદ કરે છે. તેમાં પણ તેઓ કાર્યરત છે. હરિજયોત વખારીયા ઉપાશ્રયમાં તેઓ ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. તેમના મો. ૯૮૨૪૦ ૩૧૦૬૬ છે.

(2:55 pm IST)