Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

તળપદી શૈલીના સ્ટાર પ્રચારક પરસોતમ રૂપાલાનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના જાહેર જીવનના ગગનમાં ગુંજતુ નામ એટલે શ્રી પરસોતમ રૂપાલા તેમણે ૧૯પ૪ ના વર્ષની તા.૧ ઓકટોબર જન્મીને આજે ૬૭ વર્ષના દરવાજે ટકોરા માર્યા છે. હાલ ભારત સરકારના કૃષિ રાજ્યમંત્રી તરીકેકાર્યરત છે. તેમની કારકિર્દિ સોળ આની રહી છે. પુરૂષાર્થ અને પ્રારબ્ધથી તેમની સફળતાનો મોલ અનમોલ બન્યો છે.

શ્રી પરસોતમ રૂપાલાએ કારકીર્દિના આરંભે અમરેલી જિલ્લાની હામાપુર ગામની શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવેલ. હામાપુરથી રાજકારણમાં સામા પુર તરી ગયા છે. એક સમયે તેઓ અમરેલી નગરપાલિકાના ચીફ ઓફીસ હતા. ભાજપના રંગે રંગાયા પછી પ્રદેશ પ્રવકતા, મહામંત્રી અને પ્રમુખ, રાષ્ટ્રીય ઉપપ્રમુખ સુધીના ચાવીરૂપ સ્થાનો સંભાળ્યા છે. રાજયમાં ખેતીવાડી અને પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી તરીકેની કામગીરીનો પણ અનુભવ ધરાવે છે. રાજયસભાના સભ્ય તરીકે ત્રીજી વખત ચૂંટાયા છે. સાહિત્ય અને સમાજ જીવનના પ્રવાહોમાં ઉંડો રસ ધરાવે છે. તળપદી શૈલીના લોકપ્રિય વકતા હોવાથી વિવિધ ચૂંટણીઓમાં ભાજપ સ્ટાર પ્રચારક તરીકે છવાઇ જાય છે.'હાજરજવાબીપણું' તેમની આગવી ઓળખ છે. આજે જન્મદિન નિમિતે તેમના પર વાદલડી વરસી રે, શુભેચ્છાના સરોવર છલી વળ્યા...

મો.૯૮રપ૩ ર૬૬૬૦ અને ૭૯૯૦૦ ૧૯૯૩૧ નવી દિલ્હી

(11:18 am IST)