Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ભાગવત કથાકાર પૂ. શરદભાઇ વ્યાસનો આજે જન્મદિવસ

ભાવનગર : આદીવાસીના ઝુંપડાથી લઇને અમેરીકાની ઇમારતો સુધી જેઓ એ જ્ઞાનરૂપી અમૃતનું સિંચન કર્યું છે. તેવા કુંભણ (મહુવા)ના વતની અને હાલ ધરમપુર (વલસાડ) સ્થિત ભાગવત પ્રભાવક વકતા પ.પૂ. શરદભાઇ વ્યાસનો આજે ગુરૂવાર તા. ૧ના જન્મદિવસ છે.

પૂ. દાદાએ 'વ્યાસાશ્રમ' સ્થાપી જનસેવા, ગૌસેવા સહીત ગણ્યા ગણાય નહીં એટલી સેવા પ્રવૃતિઓ કરી રહ્યા છે. ભાગવત પ્રવકતા પૂ. શરદદાદાની પ્રેરણાથી ગત તા. ૬ /૧૦/૨૦૧૫ થી ધરમપુર (વલસાડ)ના વ્યાસશ્રમમાં ટ્રિ અષ્ટોતરશત શ્રીમદ્  ભાગવત મહાયજ્ઞનો પ્રારંભ થયેલ છે. જે અખંડ દશ વર્ષ સુધી ચાલશે તેમના મો. ૯૮૨૫૧ ૪૦૭૬૫ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(11:19 am IST)