Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

રાજકોટના ધારાશાસ્ત્રી દિવ્યેશ લાખાણીનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૧૦: રાજકોટના યુવા ધારાશાસ્ત્રીશ્રી દિવ્યેશ એસ. લાખાણી એ રાજકોટ ખાતે વર્ષ-ર૦૧૮ થી જુનીયર એડવોકેટ તરીકે એડવોકેટશ્રી હરેશ બી. પરસોંડા તથા શૈલેષ બી. પરસોંડા સાથે વકીલાત શરૂઆત કરેલી અને તેઓએ પોતાના સારા-સ્વભાવથી વકીલ મિત્રોમાં ખુબજ સારી ચાહના મેળવેલ છે અને કાયદાકીય રીતે યુવા એડવોકેટ એ ક્રિમીનલ, રેવન્યુ તથા સીવીલ પ્રેકટીસમાં ખુબ સારી પ્રગતી કરેલ છે તેઓની ખંત અને મહેનત થકી યુવા એડવોકેટ તરીકે સારી નામના પ્રાપ્ત કરેલી છે ખાસ કરીને પોતાના બારોટ સમાજમાં એક સારા યુવાન એડવોકેટ તરીકે ખુબજ ટુકા સમયની વકીલાતમાં પોતાની આગવી છાપ ઉભી કરેલ છે અને રાજકોટ બાર એસોસીએશનના તમામ વકીલ મિત્રો સાથે જ મળતાવળો સ્વભાવના કારણે બહોળો મિત્ર વર્ગ ધરાવે છે. તેમજ વોઇસ ઓફ લોયર્સ નામની સંસ્થામાં પણ સભ્ય તરીકે જોડાયેલા છે. આમ તેઓના મળતાવળા સ્વભાવના કારણે વકિલ મિત્રોમાં ખુબજ સારી ચાહના ધરાવે છે. આજ રોજ તેમનો જન્મ દિવસ હોવાથી વકીલ મિત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો તરફથી તેમના મોબાઇલ નં. ૯૭ર૩૪ પ૬૯૦૯ ઉપર શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

(3:05 pm IST)