Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ઉત્સવ ગૃપના દિનેશ વિરાણીનો જન્મદિવસઃ પપમાં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ રંગીલા રાજકોટમાં નાટકવાળા તરીકે જાણીતા ઉત્સવ ગૃપના દિનેશ વિરાણીનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના પ૪ વર્ષ પુર્ણ કરી પપમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

છેલ્લા ત્રણ દાયકાથી તેઓ સામાજીક શૈક્ષણીક સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. મુંબઇના હિર નાટક અને મ્યુઝીકલ શો રાજકોટ આંગણે લાવવવાનો શ્રેય દિનેશ વિરાણીને જાય છે. હિન્દી ફિલ્મ જગતનાં ખ્યાતનામ કલાકારોના નાટકો રાજકોટમાં લાવેલ છે. તેઓએ જાણીતા ગાયક કિશોરકુમારની એકટીંગ કંપનીમાં તાલીમ લીધી હતી. તેઓએ વહુ઼એ વગોવ્યા મોટા ખોરડા જેવા વિવિધ નાટકોનું નિર્માણ કરેલ હતું. મુંબઇમાં ગુજરાતી નાટકોનો ટીકીટ શો કરનાર તેઓ પ્રથમ ગુજરાતી હતા.

નિરાધાર વૃધ્ધોને શ્રાવણ માસે નિઃશુલ્ક યાત્રા પ્રવાસ તથા ચારધામ યાત્રાપ્રવાસ પણ વિનામુલ્યે ચાર વાર કરાવ્યો હતો. તેઓએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન તહેવારો ઉપર કરીને યુવા વર્ગને જોડયો હતો. તેઓનું નાટક ચિત્રલેખા સ્પર્ધામાં વિજેતા થયું હતું. હાલ ઉત્સવ ગૃપમાં સભ્યોને વર્ષમાં ૧૦ થી વધુ નાટકો મળે તેવું આયોજન ચલાવે છે. આજે તેમના જન્મદિવસે મો.નં. ૯૯૦૪૦ ૯૩૦૩૯ ઉપર અભિનંદન શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(3:33 pm IST)