Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

'નયન' નિતારે નેહ : એડવોકેટ પજવાણી પર વર્ષગાંઠના મેહ

રાજકોટ : સિદ્ધાંતોમાં સમતોલ આંધી સામે અડીખમ, પ્રસ્તૃતિમાં પારંગત અને આવડતમાં અદકેરા જાણીતા એડવોકેટ તથા ભારત સરકાર માન્ય નોટીરી શ્રી નયન રમણિકભાઇ પજવાણીનો જન્મ તા.પ જાન્યુઆરી ૧૯૭૮ના દિવસે થયેલ. તેમણે આજે જાજરમાન જીવનના ૪૪માં વષ્ર્ાની ડોર બેલ વગાડી છે.

મૂળ મેંદરડાના વતની રઘુવંશી શ્રેષ્ઠી શ્રી નયન પજવાણીએ રાજકોટને કર્મભૂમિ બનાવી રેવન્યુ પ્રેકટીશનર તરીકે નામના મેળવી છે. તેઓ શેરબજારના પ્રવાહોના પણ અભ્યાસુ છે. રાજકોટ નાગરિક સહકારી બેંકના પેનલ એડવોકેટ છે. જુનાગઢના પ્રતિષ્ઠિત વેપારી ઉમંગ હોઝરીયરીવાળા ગિરીશભાઇ રૂપારેલ પરિવારના જમાઇ છે. આજે શુભેચ્છકો જન્મદિનની શુભકામના અમંરાધાર વરસાવી રહ્યા છે. હરપલ સદા  ભલાઇ હો, નયનજી કો બારબાર બધાઇ હો.. મો. ૯૮ર૪પ ૯પ૦૧૧-રાજકોટ

(11:25 am IST)