Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

સીનીયર ધારાશાસ્ત્રી તુલસીદાસ ગોંડલીયાનો ૭રમાં વર્ષમાં પ્રવેશ

જીવનકાળના ૭૧ વર્ષ પુરા કરી ૭રમાં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૧ર :.. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તૃત્ય વર્ષ શિક્ષિત એવા લોક લાડીલા ધારાશાસ્ત્રીની રાજકોટ વકિલ મંડળમાં ૪ર વર્ષથી વકિલાત કરતા કાયમી પ્રમુખ તરીકેનો માનમોભો ધરાવનાર એવા સરળ સ્વભાવના સજનતાથી કર્મ કરવા ટેવાયેલા ઉમદા વ્યકિતત્વની પ્રતિતી કરાવનાર નિરભીમાની સ્વભાવ ધરાવનાર સીનીયર ધારાશાસ્ત્રી તુલસીદાસ બી. ગોંડલીયાનો ૭રમા વર્ષમાં પ્રવેશ થતા તા. ૧ર-૧-ર૦ર૧ ના જન્મદિન નીમિતે શુભેચ્છા તથા હાલ કોરોનાને માત મારી ફરી સ્વસ્થ અને અડીખમ બની ચૂકેલા નિરોગી એવા લાગણીની ફોરમ ફેલાવી અભિનંદનનો વરસાદ.

તુલસીદાસ બી. ગોંડલીયા રાજકોટ બાર એસોસીએશનમાં અલગ-અલગ હોદા ઉપર રપ-વખત ચૂંટણી લડી રાજકોટ બારમાં ૪ વખત પ્રમુખપદે કારોબાર સંભાળી ચુકેલ છે અને સરકારી વકીલ તરીકે સાડા સાત વર્ષ સેવા આપેલ હોય તેમજ હાલ રાજકોટ નાગરીક બેન્કની પરાબજાર શાખાના વિકાસ સમિતિમાં સેવા આપી રહેલ હોય અને શુન્યમાંથી સર્જન કરી બહોળી પ્રતિષ્ઠા ધરાવનાર તુલસીદાસ ગોંડલીયાના જ્ઞાતિ તથા પરિવારજનો દ્વારા તેમના મો. નં. ૯૮ર૪૪ ૧૬૬૧૭ માં જન્મદિનની શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

(11:47 am IST)