Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

કાલે ગૃહ વિભાગના અધિક સચિવ કે.કે. નિરાલાનો જન્મદિન

રાજકોટ : ગૃહ વિભાગના અધિક સચિવ શ્રી કે.કે. નિરાલાનો જન્મ તા. ૧૭ જાન્યુઆરી ૧૯૭૪ના દિવસે થયેલ. આવતીકાલે ૪૮માં વર્ષમાં પ્રર્વેશ કરશે. તેઓ મુળ બિહારના વતની અને ૨૦૦૫ની બેચના આઇ.એ.એસ કેડટના અધિકારી છે. ભૂતકાળમાં આણંદ અને સુરેન્દ્રનગરમાં જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર, પાટણ, ખેડા અને અમદાવાદમાં કલેકટર, રાજ્યમાં ટેકનિકલ શિક્ષણ નિયામક પાણી પુરવઠા, બોર્ડમાં સભ્ય સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦૭૯-૨૩૨૫૫૧૮મો. ૯૯૭૮૪ ૦૮૫૫૧ ગાંધીનગર

(11:44 am IST)