Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

એનીમલ વેલફેર બોર્ડના સભ્ય અને

સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઇ શાહનો જન્મદિવસ

રાજકોટઃ ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ર્ડના સદસ્ય અને સમસ્ત મહાજન મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઇ શાહનો ગઇકાલ તા.૬ના રોજ ૫૬મો જન્મદિન હતો. ડાયમંડના વૈશ્વિક વ્યવસાય ડી.જી. એક્ષપોર્ટસ, ઋષભ જેમ્સ, ગોયમ આર્ગેનીક પ્રા.લી. સહિતની વ્યાવસાયીક બીઝનેસ હાઉસના મોભી ગીરીશભાઇ શાહ દિવસના ૧૮ કલાક કામ કરે છે. સમસ્ત મહાજનના માધ્યમથી વર્ષે માતબર રાશી સમાજમાંથી અને સ્વભંડોળમાંથી એકત્ર કરી  દેશભરની ગૌશાળા-પાંજરાપોળો અને જીવદયા સંસ્થાઓમાં આપવામાં-અપાવવામાં નિમિત બને છે. તેઓને જીવદયા રત્ન, ઇન્દિરા પ્રિયદર્શીની વૃક્ષમિત્ર, આચાર્ય ચાણકય એવોર્ડ મળી ચુકયા છે.

(12:39 pm IST)