Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

પત્રકારત્વના પંથે પ્રકાશિત અશ્વિન વ્યાસઃ હેપ્પી બર્થ ડે

રાજકોટ :. ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે પ્રસિદ્ધ શ્રી અશ્વિન કાંતિલાલ વ્યાસ માટે આજના સૂરજે અન્યથી અનોખો દિવસ ઉગાડયો છે. ૧૯૬૨ના વર્ષની ૧૪ ઓકટોબરે તેમનો જન્મ થયેલ. આજે ૫૯માં વર્ષના પંથે પ્રયાણ કર્યુ છે.

ગાંધીનગરના અકિલાના બ્યુરો ચીફ શ્રી અશ્વિન વ્યાસ તેમના મૂળ કુકર રીપેરીંગના વ્યવસાયના કારણે 'કુકર' તરીકે ઓળખાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમની સફળતાની સીટી વાગી છે. તેઓ ૫ વર્ષ ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટર અને પ્રવકતા પદે રહી ચૂકયા છે. મધુર દૂધ મંડળી, પ્રેસ એક્રીડેશન કલબ, ગાંધીનગર જિલ્લા ખાદી સહકારી મંડળી વગેરેમાં તેમનુ મહત્વનુ યોગદાન છે. તેમણે પુરૂષાર્થથી કંડારેલી કારકીર્દિની રંગોળીમાં પ્રારબ્ધે મનગમતા રંગ પૂર્યા છે.

મો. ૯૮૨૫૦ ૩૯૦૪૯ - ગાંધીનગર

(11:24 am IST)