Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કમલેશ જોષીપૂરા માટે દિવાળીનાં દીવડા સાથે જન્મદિનની ખુશીનો ઝળહળાટ

રાજકોટ : જાહેર જીવનમાં દાયકાઓથી ઝળહળતા શ્રી કમલેશ જોષીપૂરા માટે દિવાળીના તહેવાર ટાણે જન્મદિનની ખુશાલીનો પ્રકાશ પથરાયો છે. તેમનો જન્મદિન ૭ નવેમ્બર તેમના માટે વિશેષ યાદગાર દિવસ છે. આ વર્ષે દિવાળીના તહેવાર ટાણે દીવડાઓ સાથે આજે જીવનના ૬૨માં વર્ષનો પ્રકાશ ફેલાયો છે.

શ્રી કમલેશ જોષીપૂરા ભૂતકાળમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ બે વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ, ટીચર્સ યુનિવર્સિટીના પ્રથમ ઉપકુલપતિ વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. વડાપ્રધાનની અધ્યક્ષતાવાળા કેન્દ્રના નહેરૂ મેમોરીયલ મ્યુઝિયમ બોર્ડના સભ્ય, ગુજરાત સરકાર ફી નિયમન સમિતિના સભ્ય, સ્ટેટ સીકયુરીટી કાઉન્સીલના સભ્ય, બનારસ યુનિવર્સિટીમાં અગ્રણી શિક્ષણવિધ તરીકે નિમંત્રિત, પ્રદેશ ભાજપ નીતિ નિર્ધારણ વિભાગના સંયોજક વગેરે સ્થાનો પર સેવા આપી રહ્યા છે. કાયદા વિદ્યાશાખાના પ્રોફેસર તરીકે અમૂલ્ય પ્રદાન છે. તાલીમનાડુમાં વસતા ૨૫ લાખ જેટલા મૂળ સૌરાષ્ટ્રીયન સમુદાયનું સંકલન સંભાળી રહ્યા છે. ગમે તેવા પવનમાં પણ તેમની પ્રગતિના દીપ અવિરત રહ્યા છે.

મો. ૯૮૨૪૨ ૧૨૦૩૩ રાજકોટ

(10:34 am IST)