Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કાલે આઇ. સી. ડી. એસ. નિયામક અશોક શર્માનો જન્મ દિવસ

રાજકોટ : રાજયના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ સંકલિત બાળ વિકાસ યોજનાના નિયામક તરીકે ફરજ બજાવતા શ્રી અશોક શર્માનો આવતીકાલે તા. ૮ નો જન્મ દિવસ તેમનો જન્મ ૮ નવેમ્બર૧૯૬પ માં થયેલ.

આજે પ્રભાવી અને સેવાભાવી જીવનના પ૬ માં વર્ષના દ્વાર ખટખટાવશે. તેઓની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.

મુળ જુનાગઢના વતની અશોક શર્માએ ડેરી ટેકનોલોજી અને મેનેજમેન્ટ ક્ષેત્રે અનુસ્નાતકની પદવી મેળવી છે. ભુતકાળમાં પોરબંદરમાં નાયબ કલેકટર, અમરેલી અને જુનાગઢમાં નિવાસી નાયબ કલેકટર, વેરાવળ અને જૂનાગઢ, નગરપાલિકામાં વહીવટદાર, સોમનાથ ટ્રસ્ટમાં સચિવ, રાજય સર્વશિક્ષા અભિયાનના નિયામક, ગીર સોમનાથના જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર યશસ્વી કામગીરી કરી ચૂકયા છે. તેઓ વહીવટી ક્ષેત્રે કુશળ હોવા ઉપરાંત શ્રેષ્ઠ લેખક પણ છે. આધ્યાત્મિક ક્ષેત્રે તેમનો ઉંડો અભ્યાસ છે. તેઓ 'પ્રભાસ રત્ન' સહિત વિવિધ એવોર્ડથી સન્માનીત થયેલ છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૩૩૦પ મો. ૯૬૩૮પ ૧૪૯૦૦ ગાંધીનગર

(11:27 am IST)