Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

વેરાવળ મામલતદાર હરસુખભાઇ ચાંદેગરાનો જન્મ દિવસ

પ્રભાસ પાટણ :.. વેરાવળ સીટી મામલતદાર હરસુખભાઇ ચાંદેગરાનો તા. ૮ રવિવારના રોજ જન્મ દિવસ છે. તા. ૮-૧૧-૧૯૬૩ ના રોજ જૂનાગઢ પાસેના વંથલી મુકામે જન્મેલા તેઓ ૧૯૮૪ માં મામલતદાર કચેરી જુનાગઢ ખાતે જોડાઇ ૩પ વરસથી જુનાગઢ મામલતદાર કચેરી ખાતે કામગીરી બજાવેલ તેઓ જૂનાગઢ જીલ્લા હોમ બ્રાન્ચના નાયબ મામલતદાર  હતા જેમને મામલતદાર તરીકે પ્રમોશનથી વેરાવળ ખાતે આવેલ.

વાવાઝોડા - વરસાદી આફતોમાં સુપેરે આગોતરૃં આયોજન - સંકલન - ર્દીઘદ્રષ્ટીથી સારી કામગીરી બજાવી અને વેરાવળ તાલુકાના પ૩ ગામો અને શહેરી વિસ્તાર કોરોના મહામારી વચ્ચે ફસાયેલા લોકોને તેમના માદરે વતન પહોંચાડવાની કામગીરી અને સંસ્થાઓના સહયોગથી ભોજન તથા કપડાંની રહેવા વ્યવસ્થા અને ફરજ સમય ઉપરાંત કામગીરી બજાવી. વિધવા સહાયની અરજીઓનો નિકાલ કરી સહાય પહોંચાડાવવી પોતાની  જવાબદારી સાથે સામાજીક જવાબદારીઓ નિભાવવા બદલ તેમને વર્લ્ડ બુકમાં પણ સ્થાન મળેલ છે. જન્મ દિન અંગે ઠેર ઠેરથી શુભેચ્છાઓ વરસાદ મો. ૯૪ર૬૯ ૧ર૦૦પ ઉપર વરસી રહેલ છે.

(11:29 am IST)