Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

રાજુલાના પત્રકાર ચેતનકુમાર વ્યાસનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ર૦ : પત્રકાર અને સમાજ સેવક ચેતનકુમાર નવનિતરાય વ્યાસનો આજે પર મો (બાવન) જન્મ દિવસ છે. તેઓ પ૧ વર્ષ પૂર્ણ કરીને પર માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. છેલ્લા ઘણા વર્ષથી તેઓ પત્રકાર તરીકે રાજુલામાં સેવા બજાવી રહેલ છે આ ઉપરાંત તેઓ દ્વારા પર્યાવરણ સંબંધે યોજાતી અનેક લોક સુનાવણીઓમાં લોકો સાથે રહીને પર્યાવરણ બચાવવા તેમજ લોકોને આવી લોકો સુનાવણીઓમાં સહભાગી કરવા માટે તેમજ પર્યાવરણ બચાવવા માટે બે થી ત્રણ વાર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં રીટ દાખલ કરેલ છે. ઉપરાંત ગૌચર બચાવવા તેમજ શિક્ષિત બેરોજગારોને નોકરી અપાવવા માટે ૮૬ દિવસ સુધી આંદોલન ચલાવીને સફળ પરીણામ મેળવીને યુવાનોને રોજગારી અપાવેલ છે. મિત્રો શુભેચ્છકા દ્વારા તેમને મો.૭પ૬૭૧ ૧૭ર૦૧ ઉપર જન્મ દિવસની શુભેચ્છા મળી રહી છે.

(11:01 am IST)