Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

જુલાઇમાં આવશે સિધ્ધાર્થ અને કિયારાની ફિલ્મ

બોલીવૂડમાં નવી ફિલ્મો રિલીઝ થવાની તારીખો ધડાધડ જાહેર થઇ રહી છે. હવે લિસ્ટમાં કિયારા અડવાણી અને સિધ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'શેરશાહ' પણ સામેલ થઇ છે. ફિલ્મનેબીજી જુલાઇના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. કરણ જોહરે સોશિયલ મિડીયા મારફત જાણકારી આપી હતી. તેણે શેરશાહનું પોસ્ટર પોસ્ટ કરીને લખ્યું હતું કે કેપ્ટન વિક્રમ બત્રાની અનકહી કહાની મોટા પરદા પર આવવા માટે તૈયાર છે. અમે તેમની સફરને દેખાડીને સન્માન અનુભવી રહ્યા છીએ. સિધ્ધાર્થ-કિયારાની મુખ્ય ભુમિકા ધરાવતી ફિલ્મનું નિર્દેશન વિષ્ણુ વર્ધને કર્યુ છે. ફિલ્મ પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારીત છે. કિયારા છેલ્લે ઇન્દુ કી જવાનીમાં દેખાઇ હતી. હવે તે જુગ જુગ જીયો અને ભૂલભૂલૈયા- કરી રહી છે. સિધ્ધાર્થ છેલ્લે મરજાવામાં જોવા મળ્યો હતો. જેમાં તેની સાથે તારા સુતારીયા હતી. થેન્કગોડનું શુટીંગ પણ તે કરી રહ્યો છે.

(10:01 am IST)