Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ઇન્દૂ કી જવાની રિલીઝ થવાની રાહમાં કિયારાના ચાહકો

કોરોના મહામારીને કારણે મહિનાઓથી બંધ સિનેમા હોલ હવે ખુલવા માંડશે. ધીમે-ધીમે શરતોને આધીન સમગ્ર દેશમાં સિનેમાઘરોમાં પ્રેક્ષકો ફરીવાર ફિલ્મની મોજ માણી શકશે. આ વચ્ચે ઓટીટી પ્લેટફોર્મ પર અનેક ફિલ્મો રિલીઝ થઇ ચુકી છે. સરકારે પંદરમી ઓકટોરથી થિએટરમાં ફિલ્મો દેખાડવાની છુટ આપી દીધી છે ત્યારે સોૈથી પહેલા કિયારા અડવાણીની ફિલ્મ ઇન્દૂ કી જવાની દર્શકોને મોટા પરદા પર જોવા મળે તેવી શકયતા છે. નિખીલ અડવાણીએ પોતાની ફિલ્મ ઇન્દૂ કી જવાની ઓનલાઇન પ્લેટફોર્મને વેંચી નથી. નિખીલ કોઇપણ કોન્ટ્રાકટ સાથે બંધાયેલ નથી. આ જોતાં અનલોક-૫માં તે પોતાની ફિલ્મ સિનેમાઘરમાં જ રિલીઝ કરે તેવી શકયતા છે. આ એક ઓછા બજેટની ફિલ્મ છે. આ કારણે પચાસ દર્શકોની ક્ષમતાવાળા હોલમાં પણ કોઇ નુકસાન થાય તેવું નથી. ઇન્દુ કી જવાની અગાઉ પાંચ જુને રિલીઝ થવાની હતી. પરંતુ આમ થઇ શકયું નહોતું. કિયારા અને તેના ચાહકો આ ફિલ્મ રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

 

(10:04 am IST)