Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

સત્ય સાંઈ બાબાની બાયોપીક ૨૯ જાન્યુઆરીએ સીનેમા ઘરોમાં રીલીઝ થશે

મુંબઈ : દિવંગત સત્યસાંઈ બાબાની બાયોપીક 'ઓમ શ્રી સત્યસાંઈ બાબા' ૨૯ જાન્યુઆરીએ સમગ્ર ભારતના સિનેમાઘરોમાં રીલીઝ થશે. આ ફિલ્મમાં સુપ્રસિદ્ધ ભજન ગાયક અનુપ જલોટા સાંઈબાબાના કીરદાર ભજવી રહ્યા છે. જલોટાએ કહ્યુ હતું કે મને નથી લાગતુ કે સત્ય સાંઈબાબાની તુલનામાં કોઈ મોટો સુપરસ્ટાર હોય. અત્યારે સિનેગૃહોમાં કોઈ ફિલ્મો રજૂ થતી નથી પરંતુ અમારી ફિલ્મ દેશ અને દુનિયામાં રીલીઝ થશે. હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે લોકો હજારો ફિલ્મ જોવા જઈ રહ્યા છે. તેમણે કહેલ કે ૫૫ વષૃ પહેલા હુ પહેલી વખત સાંઈબાબાને મળ્યો હતો ત્યારે માત્ર ૧૨ વર્ષનો હતો. એ વખતે મે અને મારા પિતાજીએ સાંઈબાબાને ભજનો સંભળાવ્યા હતા. અને સાંઈબાબાએ અમને આર્શીવાદ આપ્યા હતા ત્યારથી હું બાબાના સંપર્કમાં રહેવા લાગેલ. તેમને મળવા અનેક વખત પુટ્ટપર્થી પણ ગયો છું. એ સિવાય સાંઈબાબાને દિલ્હી - બેંગ્લોર અને ઉંટીમાં અનેક વખત મળવાનો સૌભાગ્ય મળ્યુ છે. હુંપણ તેમના અનુયાયીઓમાંથી જ એક છું મને ખબર છે તેઓ કેવી રીતે બેસતા હતા, ચાલતા હતા, બોલતા હતા અને પોતાના અનુયાયીઓ સાથે કેવી રીતે વાત કરતા હતા કારણ કે વર્ષોથી મે તેમને આ બધુ કરતા જોયા છે. જયારે પણ સાંઈબાબા મને મળતા ત્યારે મને છોટેબાબા કહીને બોલાવતા હતા. મે એમને પૂછેલ કે મને આ નામથી શા માટે બોલાવો છો? ત્યારે સાંઈબાબાએ મને કહેલ કે એક દિવસ તને આ વાતનો અહેસાસ થશે. અનુપ જલોટા કહે છે કે મને અત્યારે અહેસાસ થાય છે કે તેઓ શા માટે મને છોટેબાબા કહેતા હતા. કદાચ મારા નસીબમાં પડદા ઉપર તેમનો કીરદાર નિભાવવાનું લખ્યુ હતું. ૨૯ જાન્યુઆરીએ હિન્દી - અંગ્રેજી - તેલુગુ અને મરાઠી ભાષામાં સત્યસાંઈબાબાના જીવન ઉપર બનેલ આ બાયોપીક રીલીઝ થશે. વીકી રણૌત દ્વારા નિર્દેશીત આ ફિલ્મમાં અનુપ જલોટા ઉપરાંત જેકી શ્રોફ, રાધિકા રંધાવા, ગોવિંદ નામદેવ, અરૃણ બક્ષી, સુધીર દલવી અને મુસ્કાન ખાન જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે.

(3:29 pm IST)