Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

લખનૌમાં થશે જોનની ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ

અભિનેતા જોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે-૨નું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે અને તે સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઇ છે. કોરોના વાયરસને કારણે અનેક મોટી ફિલ્મોની રિલીઝ અટકેલી પડી છે. બીજી તરફ હવે નિયમોના પાલન સાથે ફિલ્મોના શુટીંગ પણ શરૂ થઇ ગયા છે. નિર્દેશક મિલાપ ઝવેરી પણ પોતાની ફિલ્મ સત્યમેવ જયતે-૨ માટે આગળ વધ્યા છે. લોકડાઉનમાં તેણે પટકથા અને બીજા કામ પુરા કરી લીધા હતાં. હવે શુટીંગ લખનૌમાં શરૂ થશે. જોનનો લૂક પોસ્ટરમાં ગજબનો દેખાઇ રહ્યો છે. પોસ્ટર સાથે સ્લોગન લખેલુ છે- જીસ દેશ કી મૈયા ગંગા હૈ, વહાં ખૂન ભી તિરંગા હૈ. ટી-સિરીઝ એન્ટરટેઇનમેન્ટ અને એમે એનટરટેઇનમેન્ટની આ ફિલ્મ ૧૨ મે ૨૦૨૧ના રિલીઝ થશે. ત્યારે ઇદનો તહેવાર છે. અગાઉ ૨૦૧૮માં જોન અને મિલાપે સત્યમેવ જયતે આપી હતી. જે દર્શકોને ગમી હતી. હવે તેનો બીજો ભાગ આવી રહ્યો છે. ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ લખનૌમાં જ થશે. એકશન, ગીત-સંગીત, ડાયલોગ્સ, દેશભકિત અને વિરતા એવું બધુ જોવા મળશે.

(9:56 am IST)