Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

સિદ્ધાર્થ મલ્હોત્રાએ વિક્રમ બત્રાની બાયોપિક 'શેરશાહ'નું શૂટિંગ કર્યું પૂરું

મુંબઈ: અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ તાજેતરમાં જ કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક 'શેરશાહ'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી પણ છે. કોરોના રોગચાળાને કારણે લોકડાઉન દરમિયાન ફિલ્મનું શૂટિંગ અટક્યું હતું. હવે અભિનેતાએ આખરે લગભગ બે દિવસમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. તાજેતરમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા તેની મહત્વાકાંક્ષી ફિલ્મ 'શેર શાહ' ના સેટ પર પાછા ફર્યા. સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરો શેર કર્યા પછી સિદ્ધાર્થે લખ્યું - 'સૈનિક ફરી એકવાર કામ પર.' આ ફિલ્મનું દિગ્દર્શન વિષ્ણુ વર્ધન દ્વારા કરાયું છે. ધર્મ પ્રોડક્શનના બેનર હેઠળ ફિલ્મ 'શેરશાહ' પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત છે. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં કિયારા અડવાણી તેની મંગેતર ડિમ્પલ ચીમાની ભૂમિકા નિભાવી રહી છે. કેપ્ટન વિક્રમ બત્રાએ 24 વર્ષની વયે કારિગલના શિખર પોઇન્ટ -5140 પર ફતેહમાં પોતાનો જીવ બલિદાન આપ્યો હતો. તેમને મરણોત્તર ભારતના સર્વોચ્ચ શૌર્ય સન્માન પરમ વીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. વિષ્ણુ વર્ધન નિર્દેશિત ફિલ્મ 'શેરશાહ' ની વાર્તા સંદીપ શ્રીવાસ્તવ દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મ અગાઉ આ વર્ષે 3 જુલાઇના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના રોગચાળાને કારણે તેની રિલીઝની તારીખ લંબાઈ છે.

(6:06 pm IST)