Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

સાથે જમવાથી સકારત્મકતા આવે છેઃ નિલુ વાઘેલા

ટીવી અભિનેત્રી નિલુ વાઘેલા અનેક શોમાં કામ કરી જાણીતી બની છે. હાલમાં તે એ મેર હમસફર નામના ટીવી શોમાં કામ કરી રહી છે. લાંબા સમય પછી કોરોના કહેર વચ્ચે સલામતિ અને માર્ગદર્શિકાને ધ્યાને લઇ ટીવી શોના શુટીંગ થઇ રહ્યા છે. જો કે હાલના સંજોગોમાં શુટીંગના વિરામ વચ્ચે કલાકારો અને ક્રુ મેમ્બર્સને વધુ કંઇ યાદ આવતું હોય તો એ છે એકઠા થઇને સાથે જમવાની બાબત. હાલના સમયમાં આવું કરવા પર પ્રતિબંધ છે. નિલુ વાઘેલા એ મેરે હમસફરમાં પ્રતિભાદેવીનો રોલ નિભાવી રહી છે. તે કહે છે સેટ પર વિભીન્ન સમુદાય અને રાજ્યના લોકો હોય છે. આ કારણે થાળીમાં વ્યંજનો પણ અલગ-અલગ આવતા રહે છે. લિટ્ટી ચોખા, રાજમા ચાવલ અને બીજુ ઘણુંબધુ મળી રહે છે. રિશીના, પૂજા અને હું મેકઅપ રૂમમાં સાથે બેસીની બપોરનું ભોજન લઇએ છીએ. પરંતુ અમારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રહે તેનું ખાસ ધ્યાન રાખીએ છીએ. પહેલાના સમયમાં અનેક લોકો ભેગા થઇ સાથે ભોજનનો આનંદ માણતા હતાં. એકસાથે ભોજન કરવાને લીધે સકારત્મકતાનો અનુભવ થાય છે.

(9:37 am IST)