Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

અંજુમે નિભાવેલુ શરદ શુકલાનું પાત્ર ખુબ ખિલ્યું

વેબ સિરીઝ મિરઝાપુરની બંને સિઝન દર્શકોને ખુશ કરવામાં સફળ રહી છે. બીજી સિઝનમાં અભિનેતા અંજુમ શર્માએ નિભાવેલુ શરદ શુકલાનું પાત્ર વધુ ઉજાગર થયું છે. તેના ભાગે દ્રશ્યો પણ વધુ આવ્યા છે. બે વર્ષ પહેલા મિરઝાપુરની પહેલી સિઝનના અંતિમ દ્રશ્યમાં એક પાત્રની એન્ટ્રી થઇ હતી. એ પાત્ર હતું શરદ શુકલાનું. બીજી સિઝનમાં બીજા પાત્રોની જેમ શરદનું પાત્ર પણ વધુ ખીલ્યું છે. અંજુમ શર્માએ આ રોલ નિભાવ્યો છે. તેણે અગાઉ સ્લમડોગ મિલિયોનર, મેડ ઇન હેવનમાં પણ કામ કર્યુ છે. અંજુમે કહ્યું હતું કે અગાઉ મેં આ સિરીઝના નિર્દેશક ગુરમિતસિંહ સાથે કામ કર્યુ હતું. તેણે મને મિરઝાપુર નામની સિરીઝ બની રહી હોવાની વાત કરી હતી.  મને પણ તેણે રોલ માટે કહ્યું હતું. પણ ગુડ્ડુ, બબલુ, મુન્ના જેવા પાત્રો આવી ગયા પછી મારા માટે ખાસ કંઇ નહોતું. ગુરમિતે પછી મને શરદ શુકલાનો એક જ સિન હતો તે આપ્યો હતો. પહેલા મને હતું કે બીજી સિઝન ન પણ આવે. પણ દમદાર સ્ક્રિપ્ટ-પાત્રોને કારણે એક સિન માટે પણ મેં હા કહી હતી. જેનો લાભ મને બીજી સિઝનમાં મળ્યો. હવે લોકો દરરોજ પુછે છે ત્રીજી સિઝન કયારે આવશે?

 

(9:50 am IST)