Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

દર્શકોની આતુરતાનો અંત:કાલિન ભૈયાએ શેર કર્યું વેબસીરીઝ મિરઝાપુર-2નું પોસ્ટર

મિરઝાપુર સિઝન-2નું પ્રિમિયર 2 ઓક્ટોબરે રિલિઝ થશે.

મુંબઈ : દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે. ચાહકો જે શ્રેણીની રાહ જોઇ રહ્યા છે તે વેબસિરિઝ મિરઝાપુર-2નું પોસ્ટર એક્ટર પંકજ ત્રિપાઠીએ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની દ્વારા નિર્મિત મિરઝાપુર સિઝન-2નું પ્રિમિયર 2 ઓક્ટોબરે રિલિઝ થશે.

દિગ્ગજ એક્ટર પંકજ ત્રિપાઠીએ ઇન્સ્ટાગ્રામ પર મિરઝાપુર-2નું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં મિરઝાપુરની લોહિયાળ અને બંદૂકોના શહેરની ભયાનક વાસ્તવિકતા દર્શાવે છે.

મિરઝાપુર-1 એમેઝોન પ્રાઇમ પર બહુચર્ચિત વેબ સિરિઝ છે. ત્યારે દર્શકો સિઝન-2ની રાહ છેલ્લા 2 વર્ષથી જોઇ રહ્યા હતા. તમને જણાવી દઇએ કે, આ સિરિઝ 23 ઓક્ટોબરે OTT પ્લેટફોર્મ પર રિલિઝ થશે. એમેઝોન પ્રાઇમ વીડિયોએ આ સિરિઝનો ખુલાસો એક ટિઝર દ્વારા કર્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, મિરઝાપુર એક ક્રાઇમ વેબ સિરિઝ છે. જેની કહાની ઉત્તર પ્રદેશના મિરઝાપુર પર આધારિત છે. વેબસિરિઝનો પહેલો ભાગ વર્ષ 2018માં રિલિઝ કરવામાં આવ્યો હતો.

મિરઝાપુર સિઝન-2માં દર્શકોને જૂના ચહેરાઓની સાથે નવા ચહેરા પણ જોવા મળશે. અલી ફઝલની સાથે પંકજ ત્રિપાઠી કાલિન ભૈયા અને દિવ્યેંદુ મુન્ના ત્રિપાઠીના રૂપમાં જોવા મળશે. સિઝન-2માં શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગ્ગલ, હર્ષિતા ગૌડ, અમિત સિયાલ, અંજુમ શર્મા, શીબા ચઢ્ઢા, મનુ ઋષિ અને રાજેશ તૈલંગ જેવા સ્ટાર્સ પણ છે. નવા ચહેરોમાં તમને વિજય વર્મા, પ્રિયાંશુ પેન્યુલી અને ઇશા તલવાર જેવા સ્ટાર્સ જોવા મળશે.

(11:02 pm IST)