ફિલ્મ જગત
News of Thursday, 1st October 2020

સ્નેહા જૈન હવે ગહેનાના રોલમાં

ટીવી પરદાનો લોકપ્રિય શો સાથ નિભાના સાથિયાની બીજી સિઝન આવતા  ૧૯ ઓકટોબરથી શરૂ થવાની છે. શાહિર શેખ અને રેહા શર્માનો શો યે રિશ્તે હૈ પ્યાર કે બંધ થશે અને તેની જગ્યાએ આ શો શરૂ થશે. શોમાં ગોપી વહૂનું પાત્ર દેવોલીના ભટ્ટાચાર્ય અને કોકીલાબેનનું પાત્ર રૂપલ પટેલ નિભાવી રહ્યા છે. શોનો પહેલો સીન ધાર્મિક પૂજાનો હશે. જેનું શુટીંગ થઇ ગયું છે. દેવોલીના અને રૂપલ પટેલ આ પહેલા દ્રશ્યના શુટીંગમાં સામેલ થયા હતાં.

આ વખતે એટલે કે બીજી સિઝનમાં નવા કલાકારો હર્ષ નાગર અને સ્નેહા જૈનને પણ સામેલ કરવામાં આવ્યા છે. સ્નેહા શોમાં ગહેનાનું પાત્ર ભજવી રહી છે. શોના પ્રોમોમાં પણ ગોપી વહૂ ગહેનાના પાત્ર વિશે વાત કરી રહી છે. જ્યારે હર્ષને અનંતનો રોલ મળ્યો છે. સ્નેહાએ અનેક ગુજરાતી શોમાં કામ કર્યુ છે.  ક્રાઇમ પેટ્રોલના અમુક એપિસોડમાં પણ તે જોવા મળી હતી. હર્ષનાગર છેલ્લે કાર્તિક પુર્ણિમામાં જોવા મળ્યો હતો.

 

(9:33 am IST)