ફિલ્મ જગત
News of Friday, 2nd October 2020

ખુબ સંઘર્ષ પછી કામ મળ્યું છેઃ આદિત્ય

ગાયક, અભિનેતા અને ટીવી શોનો સફળ સંચાલક ઉદિત નારાયણ આજે પોતાના નામથી અને કામથી ઓળખાય છે. જો કે અભિનય ક્ષેત્રે તેને જોઇએ એવી સફળતા મળી નહોતી. આદિત્યના નામે અનેક હિટ ગીતો છે. તેણે સંઘર્ષ વિશે વાત કરતાં કહ્યું હતું કે એક સમય હતો જ્યારે મને છ વર્ષ સુધી કોઇ કામ મળ્યું નહોતું. એ પછી રામલીલાનું હીટ ગીત મારા ભાગે આવ્યું હતું. આ ગીત પછી પણ હું જુદા-જુદા સંગીતકારોને મળ્યો હતો. છતાં મને કામ મળ્યું નહોતું. આદિત્ય સ્પષ્ટ કરે છે કે સ્ટારકિડ હોવાનો મને કોઇ ફાયદો મળ્યો નથી. પચ્ચીસ વર્ષ પછી મને કામ મળવાનું શરૂ થયું છે. વિશાલ-શેખરને હું અઢાર વર્ષનો હતો ત્યારથી ઓળખુ છું. પણ મને કામ નહોતું અપાયું. પ્લેબેક સિંગર બનવાની પહેલેથી ઇચ્છા હતી. આ કારણે તે સતત ગાતો રહુ છું. પણ લોકો મને હોસ્ટ તરીકે વધુ જોઇ રહ્યા છે અને પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં આદિત્યએ પિતા ઉદિત સાથે ગીત તેરે બગૈર...રિલીઝ કર્યુ છે. જે લોકોને ગમ્યું છે.

(10:02 am IST)