ફિલ્મ જગત
News of Monday, 12th October 2020

નેહા ફરીથી અંજલી ભાભીના પાત્ર માટે તૈયાર હતી પણ...

લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં બાર વર્ષથી અંજલી ભાભીનું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી નેહા મહેતાએ આ શો છોડી દીધો છે અને તેની જગ્યાએ સુનયના ફોૈજદારે કામ સંભાળી લીધું છે. નેહાએ આ શો શા માટે છોડી દીધો તે અંગે કોઇ સ્પષ્ટ કારણો સામે આવ્યા નથી. નિર્માતાએ કહ્યું હતું કે અંજલી ભાભીના પાત્ર માટે નેહા શોમાં પરત આવવા માંગતી હતી. પરંતુ ત્યાં સુધીમાં તેની જગ્યાએ નવી અભિનેત્રી સુનયના ફોૈજદારને સાઇન કરી લેવામાં આવી હતી. તે સારું કામ કરી રહી છે. એક વખત કાસ્ટીંગ થઇ ગયા પછી કોઇને હટાવવાનું કામ શકય નથી. જો કોઇ આ શોનો ભાગ બનવા ઇચ્છતું ન હોય તો અમે કંઇ કરી શકીએ નહિ. આસિતકુમાર મોદીએ કહ્યું હતું કે અમે દસમી જુલાઇએ શોનું શુટીંગ શરૂ કર્યુ હતું. નેહાએ અમને એપ્રિલ કે મે મહિનામાં લેટર મોકલ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે હવે આ શો કન્ટીન્યુ રાખવો મુશ્કેલ થશે. અમે તેનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ એ પછી નેહાનો જવાબ આવ્યો નહોતો.

(10:14 am IST)