હવેથી શ્રેષ્ઠ કથાઓને જ પસંદ કરીશઃ શાહિદ
અભિનેતા શાહિદ કપૂરને હવે એમ લાગે છે કે શ્રેષ્ઠ કથાઓ જ અહિ મહત્વની હોય છે. વેબ સિરીઝ અને વેબ શોના આગમન પછી અનેક સારી અને નવીનત્તમ કહાનીઓનો સિલસિલો શરૂ થઇ ગયો છે. હિન્દી ફિલ્મોથી કંટાળેલા ઘણા દર્શકો પણ આ તરફ ખેંચાયા છે. વેબકલ્ચર તરફ સોૈ કોઇ આકર્ષાયા છે ત્યારે શાહિદે તાજેતરમાં કહ્યું હતું કે હું લોકોને શ્રેષ્ઠ કથાઓ આપવા માંગુ છું. એક કલાકાર તરીકે મને લાગે છે કે હવે શ્રેષ્ઠ જ આપવું. મેં કારકિર્દીમાં ઘણી એવી ફિલ્મો કરી છે જેમાં કોઇ કથા જ નહોતી. પણ હવે હું સમજી ગયો છું કે સ્ટોરીટેલિંગનું મહત્વ શું છે. હવે હું પ્રયાસ કરીશ કે મારા દરક પ્રોજેકટમાં ખુબ સારી કહાની હોય. રોલ ભલે નાનો હોય કે મોટો પણ કહાની ઉત્તમ હોવી જોઇએ. શાહિદની સુપરડુપર હિટ ફિલ્મ કબીરખાનને બે વર્ષ પુરા થયા ત્યારે તેણે આ વાત કહી હતી. તેમજ પોતાની પત્નિી મીરાનો પણ આભાર માન્યો હતો. શાહિદની આગામી ફિલ્મોમાં યોધ્ધા, ફરઝી અને જર્સી સામેલ છે.