ફિલ્મ જગત
News of Friday, 25th September 2020

સત્યજીત શર્મા ક્રાઇમ-થ્રિલરમાં એડવોકેટના રોલમાં

વેબ સિરીઝમાં નવા-જુના દરેક અભિનેતા અભિનેત્રીઓને ભરપુર કામ મળતું રહે છે. અલ્ટ બાલાજી હમેંશા નવા-નવા કન્ટેન્ટ રજૂ કરવા માટે જાણીતું છે. હવે તેની આગામી સિરીઝ 'બિચ્છુ કા ખેલ' આવી રહી છે. ક્રાઇમ થ્રિલર જોનરની આ સિરીઝમાં દિવ્યેન્દુ શર્મા મુખ્ય રોલમાં છે. જે અગાઉ મિરઝાપુરમાં ખાસ ભુમિકા નિભાવી ચુકયો છે. શોની કહાની અખિલ (દિવ્યેન્દુ) પોતાના પિતાની હત્યાની સજાથી બચવા માટે કાયદા સાથે શું છેડછાડ કરે છે તેની છે. પણ તેના પ્લાનમાં અનેક એવા વણાંકો આવે છે કે તે પોતે ગુંચવાઇ જાય છે. બિચ્છુ કા ખેલમાં અંશુલ ચોૈહાણ, મુકુલ ચઢ્ઢા, ઝિશાન કાદરી અને બાલિકા વધૂમાં કામ કરી ચુકેલા સત્યજીત શર્મા પણ છે. ચમેલી, પા, કમિને, ઉરી જેવી ફિલ્મો અને કિતની મહોબ્બતે હૈ તથા એક દુજે કે વાસ્તે સીહતના ટીવી શો કરી ચુકેલા સત્યજીત બિચ્છુ કા ખેલમાં એડવોકેટનો રોલ નિભાવી રહ્યા છે. જે માફીયા અને ટોચના પોલીસ ઓફિસરો એમ બધા સાથે કોન્ટેકટ ધરાવે છે. સત્યજીત કહે છે આ શોની કહાની અદ્દભુત છે. સમગ્ર ટીમ સાથે કામ કરવા આતુર છું.

(10:30 am IST)