Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

સુરત:નવસારી નજીક બપોરના સમયે કાર ડિવાઈડર સાથે અથડાતા ઇજા પામેલ કતારગામના ત્રણ યુવાનોના મોત

સુરત:નવસારી ખાતે સંબંધીની મરણોત્તર વિધીમાંથી આવતી વખતે સચિનના વકતાણા રોડ પર શનિવારે બપોરે કાર ડિવાઈડર સાથે અથડાતા ઇજા પામેલા કતારગામના ત્રણ યુવાનો પૈકી એકનું મોત નીપજ્યું હતું.

નવી સિવિલ અને પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ કતારગામમાં  લક્ષ્મીકાંત આશ્રમ રોડ પર સહજાનંદ સોસાયટીમાં રહેતો પંકજ વાસુદેવ ચૌધરી  સંબંધીની મરણોત્તર વિધીમાંથી શનિવારે બપોરે કારમાં સતીશ ચૌધરી અને ભોજુસિંગ ઉર્ફે રવિ આનંદસિંગ રાજપૂત(ઉ-વ-36-રહે-રણછોડ પાર્ક,કતારગામ )સાથેે નવસારી થી સુરત આવવો નીકળ્યો હતો. દરમિયાન ભાટીયાથી વકતાણાગામ પાસેની નહેર નજીક કાર ડિવાઇડર સાથે ભટકાતા પલટી ગઇ હતી.  જેમાં ગંભીર ઈજા થતાં ભોજુસિંગનું ઘટનાસ્થળે મોત નીપજયું હતુ. જ્યારે પંકજ અને સતીશને સામાન્ય ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતક ભોજુસિંગ ડ્રાઇવીંગનું કામ કરતો હતો. આ અંગે સચિન પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:29 pm IST)