Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

રાજ્યમાં કોરોના વકર્યો : નવા 427 કેસ નોંધાયા : વધુ 360 દર્દીઓ સ્વસ્થ થયા : આજે એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 4410 : કુલ 2,63,475 લોકોએ કોરોનાને હરાવ્યો : રાજ્યના 6 જિલ્લામાં એકપણ કેસ નહીં : રાજ્યમાં 1345 કેન્દ્રો પર રસીકરણ : પહેલા દિવસે 61,254 લોકોને રસી અપાઈ

રાજ્યમાં આજે અમદાવાદમાં 99 કેસ, વડોદરામાં 84 કેસ, સુરતમાં 64 કેસ, રાજકોટમાં 50 કેસ, પંચમહાલમાં 14 કેસ, જૂનાગઢમાં 12 કેસ, કચ્છમાં 11 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, આણંદમાં 9 કેસ, સાબરકાંઠામાં 8 કેસ, દાહોદ અને ખેડામાં 7-7 કેસ, અમરેલીમાં 6 કેસ નોંધાયા : રાજ્યમાં હાલમાં 2363 એક્ટિવ કેસ:જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ ફરી નવા કેસની સંખ્યા 400ને પાર પહોંચી છે આજે રાજ્યમાં કોરોનાના નવા 427 કેસ નોંધાયા છે જયારે આજે વધુ 360 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 427 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 360 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,63,475 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી અમદાવાદમાં એક દર્દીનું મૃત્યુ થયું છે રાજ્યમાં  મૃત્યુઆંક 4411 થયો છે છે  રાજ્યમાં રિકવરી રેટ 97,47 થયો છે

    રાજ્યમાં હાલ 2429 એક્ટિવ કેસ છે, જેમાંથી 35 લોકો વેન્ટિલેટર પર અને 2394 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,63,475 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના  રસીકરણનો પ્રારંભ થયેલ છેબીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 8,83,601 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 1,89,624 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

 રાજ્યમાં આરોગ્યવિભાગની અસરકારક કામગીરીને કારણે આજે રાજ્યના બોટાદ,જામનગર, નવસારી, પાટણ, પોરબંદર,અને તાપી એમ કુલ 6 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી

 રાજ્યમાં આજે ત્રીજા તબક્કાના રસીકરણ માટે 1345 કેન્દ્રો પર 60 વર્ષર્થી વધુની વાય વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી આજે કુલ 61254 વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતું

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 427 પોઝિટિવ કેસમાં અમદાવાદમાં 99 કેસ, વડોદરામાં 84 કેસ, સુરતમાં 64 કેસ, રાજકોટમાં 50 કેસ, પંચમહાલમાં 14 કેસ, જૂનાગઢમાં 12 કેસ, કચ્છમાં 11 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, આણંદમાં 9 કેસ, સાબરકાંઠામાં 8 કેસ, દાહોદ અને ખેડામાં 7-7 કેસ, અમરેલીમાં 6 કેસ, નોંધાયા હતા

(8:42 pm IST)