Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

માંડલના સીતાપુરમાં કેનાલના નામે એડીસી બેન્ક સાથે 97 હજારની છેતરપિંડી કરનારા તમામ આરોપી ઝડપાયા

તલાટી કમમંત્રીસહીત ત્રણ સખ્શોએ બેન્કના કર્મચારીઓની મદદથી એડીસી બેન્ક પાસેથી નાણાં લઈ કૌભાંડ આચર્યું હતું

અમદાવાદ :માંડલ તાલુકાના સીતાપુર ગામની અંદર કેનાલના નામે એડીસી બેન્ક સાથે રૂ. 97,926ની છેતરપિંડી કરનારા આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જો કે, પોલીસે તમામ આરોપીઓને ઝડપી લીધા છે. આ છેતરપિંડીમાં એડીસી બેન્કના અધિકારીઓ પણ સામેલ હતા.

સીતાપુર ગામની અંદર જે તે વખતે જમીન જૂના સર્વે નં. 830 જેનો રિસર્વે નં. 323 તથા 381માં નર્મદા નિગમની કેનાલ નીકળતી હતી, જેના સંપાદનના નાણાં રૂ. 97,926 હતા. કરસન ડુંગરભાઈ રાઠોડ, પી. ટી. પરમાર, તલાટી કમમંત્રી ગિરીશ પટેલે તે વખતના એડીસી બેન્કના કર્મચારીઓની મદદથી એડીસી બેન્ક પાસેથી નાણાં લઈ આ કૌભાંડ આચર્યું હતું, જેના અનુસંધાનમાં ભોગીલાલ ભેમાભાઈ પરમારે તમામ આરોપીઓ સામે વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

આ તમામ આરોપીઓએ ગુનાહિત કાવતરુ રચી ખોટી એફિડેવિટ કરી તેને સાચી એફિડેવિટ દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી ખોટું નામ ધારણ કરી એડીસી બેન્ક સાથે રૂ. 97,926ની ઉચાપત કરી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

(12:36 pm IST)