Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કલાગુર્જરી- ગાંધીનગર દ્વારા કાલે ગાંધીજીને ભાવવંદના ઓસમાણ મીર દ્વારા ભજનાંજલિ :જીવંત પ્રસારણ

ભાવનગર,તા. ૧: કલાગુર્જરી, ગાંધીનગર દ્વારા સતત ચૌદમાં વર્ષે, ગાંધીનગરમાં, શુક્રવારના રોજગાંધીજીની ૧૫૧મી જયંતીએ, સૂર અને શબ્દથી પૂ. બાપુની ભાવવંદના કરવામાં આવશે.કાર્યક્રમ સવારે ૦૬:૩૦ થી ૦૮.૩૦ વાગ્યે, ખુલ્લા મેદાનમાં, મંચ પર, પ્રતિ વર્ષની જેમ જ યોજાશે. પણ સામે શ્રોતાઓ નહિ હોય.ગાંધી જયંતીની ઉજવણી આ વર્ષે પ્રસિદ્ઘ આંતરરાષ્ટ્રીય કલાકાર ઓસમાણ મીર તેમજ તેમના વૃંદ દ્વારા પ્રસ્તુત ભજનો, ગીતો સાથે ભજનાંજલિ દ્વારા અપાશે. તદુપરાંત આ પ્રસંગે વિદુષી ડો. માર્ગી હાથી ઉદ્દદ્યોષક (કોમ્પેરર) તરીકે સેવાઓ આપવાના છે.

 આ વર્ષે આ કાર્યક્રમનું વૈશ્વિક જીવંત પ્રસારણ ઈટીવી ભારત (ETV Bharat)ના પોર્ટલ પર, ડીટુએચ D2H પર 'વંદે ગુજરાત'માં ચેનલ નં. ૧ પર, જીઓ ટીવી એપ્લીકેશન પર પણ વંદે ગુજરાત ચેનલ નં. ૧ દ્વારા જોઈ શકાશે. તદ્દઉપરાંત જીટીપીએલ ચેનલ નં. ૨૮૨ પર પણ જીવંત પ્રસારણ જોઈ શકાશે.તેમ મહેન્દ્ર ત્રિવેદી(પેટ્રન, કલાગુર્જરી)ની યાદીમાં જણાવાયુ છે.

(2:43 pm IST)