News of Thursday, 1st October 2020
અમદાવાદ, તા.૧: આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા આ વર્ષે ૨ ઓકટોબર ૨૦૨૦ એટલે કે ગાંધી જયંતી નિમિત્ત્।ે સ્વચ્છ ભારત મિશન – શહેરી (SBM-U)ની છઠ્ઠી વર્ષગાંઠ નિમિત્ત્।ે 'સ્વચ્છતા કે ૬ સાલ, બેમિસાલ' શીર્ષક સાથે વેબિનારનું આયોજન કરીને વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે મહાત્મા ગાંધીની ૧૫૧મી જન્મ જયંતીની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં ખાસ કરીને આ મિશન અંતર્ગત છેલ્લા છ વર્ષમાં પ્રાપ્ત કરવામાં આવેલી સિદ્ઘિઓની ઉજવણી અને રાજયો તેમજ શહેરો અને સહભાગી સંગઠનોના અનુભવના આદાનપ્રદાન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. MoHUAના રાજયમંત્રી (સ્વતંત્ર પ્રભાર) હરદીપસિંહ પુરીની અધ્યક્ષતામાં આ વેબિનારનું આયોજન કરવામાં આવશે જયારે MoHUAના સચિવ દુર્ગાશંકર મિશ્રા અને MoHUAના અધિક સચિવ કામરાન રિઝવી પણ આ પ્રસંગે જોડાશે.
મંત્રીશ્રી દ્વારા આ પ્રસંગે એક સારસંગ્રહ અને ડાયનેમિક GIS પોર્ટલ પણ રીલિઝ કરવામાં આવશે જેમાં દ્યન કચરાના અસરકારક વ્યવસ્થાપન (SWM) માટે સમગ્ર ભારતમાં અપનાવવામાં આવેલા નવીનતાપૂર્ણ આચરણો દર્શાવવામાં આવશે. આ ઉપરાંત, કોવિડ-૧૯ સામે ભારતીય શહેરોની પ્રતિક્રિયા દસ્તાવેજૅં સફાઇનું પરિપ્રેક્ષ્ય પણ બહાર પાડવામાં આવશે જે NIUA દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
આ સત્રના ઉત્તરાર્ધમાં છેલ્લા છ વર્ષમાં પસંદગીના રાજયો અને શહેરોના સ્વચ્છતા સંબંધિત અનુભવોનું આદાનપ્રદાન અને સ્વચ્છતમ્ ભારતની દિશામાં આગળ વધવા માટે આગામી પગલાં નિર્ધારિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ કાર્યક્રમ તમામ હિતધારકોને એકબીજા પાસેથી કંઇક નવું શીખવાની અને મિશનના આગામી તબક્કાની પરિકલ્પના કરવાની તક પૂરી પાડશે.
૨૦૧૪માં SBM-Uનો પ્રારંભ થયો ત્યારથી જ, સફાઇ અને ઘન કચરાના વ્યવસ્થારન, બંને ક્ષેત્રમાં તેની નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. આજદિન સુધીમાં ૪,૩૨૭ શહેરી સ્થાનિક એકમો (ULBs)ને ODF જાહેર કરવામાં આવ્યા છે. ૬૬ લાખથી વધુ વ્યકિતગત પારિવારિક શૌચાલયો અને ૬ લાખ કરતાં વધારે સામુદાયિક/ સાર્વજનિક શૌચાલયોનું નિર્માણ કરીને જ આ શકય બન્યું છે. ઘન કચરાના વ્યવસ્થાપનના ક્ષેત્રે, ૯૭% વોડર્સમાંથી ઘરે ઘરે જઇને કચરાના એકત્રીકરણનું કાર્ય, ૭૭% વોર્ડ્સમાં કચરાના સ્રોતનું અલગીકરણ કરવામાં આવ્યું છે
ULBsના અધિકારીઓ અને સ્ટાફનું ક્ષમતા નિર્માણ કરવું એ પણ આ મિશનનું એક અભિન્ન અંગ છે. આ પ્રયાસના ભાગરૂપે, રાષ્ટ્રીય શહેરી બાબતો સંસ્થાન (NIUA)ની મદદથી મંત્રાલય દ્વારા, ૩,૨૦૦ ULBsનું પ્રતિનિધિત્વ કરતા ૬,૦૦૦થી વધુ અધિકારીઓની સહભાગીતા સાથે સમગ્ર ભારતમાં ૧૫૦ કરતાં વધારે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વચ્છ ભારત મિશન એ ભારત સરકારની એક મુખ્ય યોજના છે જેનો પ્રારંભ નવી દિલ્હીમાં રાજદ્યાટ ખાતેથી ૨ ઓકટોબર ૨૦૧૪ના રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યો હતો. આ મિશન ૨ ઓકટોબર ૨૦૧૯ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ સુધીમાં 'સ્વચ્છ ભારત'નું તેમનું સપનું સાર્થક કરવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવ્યું હતું. આ મિશનના શહેરી ઘટકનું સંચાલન MoHUA દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેમનો બહોળો હેતુ શહેરી ભારતને ખુલ્લામાં શૌચ મુકત (ODF) કરવાની સાથે સાથે નાગરિકોમાં ખૂબ જ મોટા પાયે રીતભાતો અને રહેણીકરણીમાં પરિવર્તન લાવીને અઘતન તેમજ વૈજ્ઞાનિક ઢબે કચરાનું વ્યવસ્થાપન કરવાનો છે.