Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

સુરતના ઈચ્છાપોરમાં આર્થિક તંગીથી કંટાળી 55 વર્ષીય આધેડે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત: શહેર પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ ઇચ્છાપોરમાં આવેલા ખડી મોહલ્લામાં રહેતા 55 વર્ષીય રવજીભાઈ મગનભાઈ રાઠોડ બુધવારે બપોરે ઘરમાં છતની વળી સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.

પોલીસે કહ્યું હતું કે રવજીભાઈને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તે ખેત મજૂરી કામ કરતા હતા. તેમણે આર્થિક મુશ્કેલીને લીધે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે પણ હકીકત તપાસ દરમિયાન જાણવા મળશે. આ અંગે ઇચ્છાપોર પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(5:54 pm IST)