Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

સાબરકાંઠા જિલ્લામાં ઘાસચારો લઇ ઘરે જતી પરિણીતાની એકલતાનો લાભ લઇ બે નરાધમોએ પોતાની હવસ સંતોષતા ચકચાર

સાબરકાંઠા:જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી મહિલાઓ સવારે અને સાંજના સુમારે વગડામાં લીલો ઘાસચારો લેવા જાય છે ત્યારે કેટલાક શખ્સો મહિલાઓની એકલતાનો લાભ લઈને અણછાજતુ વર્તન કર્યાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવે છે ત્યારે બે દિવસ અગાઉ હિંમતનગર તાલુકાના વિરાવાડા ગામની એક પરિણીતા ઘાસચારો લઈને ઘરે આવતી હતી ત્યારે ગામના જ બે નરાધમોએ તેણીની એકલતાનો લાભ લઈને વાહન પર બેસાડી અન્ય સ્થળે લઈ જઈ પરાણે દારૂ પીવડાવી આ બંને નરાધમોએ દુષ્કર્મ કર્યુ હતું. જે અંગેની ફરીયાદ બુધવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોધાવા પામી હતી.

 દુષ્કર્મનો ભોગ બનનાર પરિણીતાએ નોધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેણી ગત તા.૨૮ સપ્ટેમ્બરના રોજ સાંજના સુમારે ખેતરમાંથી ઘાસનો ભારો લઈને ઘરે આવી રહ્યા હતા ત્યારે ગામના જ રાકેશ મણાભાઈ પટેલ અને દિનેશસિંહ ઉર્ફે ભુરીયો સરદારજી મકવાણાએ બાઈક પર આવી મહિલાની છેડતી કરી હતી. અને દિનેશસિંહે બળજબરીથી પરિણીતાનું મોઢુ દબાવીને બાઈક પર બેસાડી દીધી હતી.

(5:55 pm IST)