Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રાજ્યમાં કોરોનાનો કહેર :નવા 1351 પોઝિટિવ કેસ:વધુ 10 લોકોના મોત :કુલ કેસનો આંક 1,38,745 થયો :વધુ 1334 દર્દીઓ ડિસ્ચાર્જ થતા કુલ 1,18,565 લોકોએ કોરોનાને હરાવ્યો

સૌથી વધુ સુરતમાં 288 કેસ, અમદાવાદમાં 193 કેસ,રાજકોટમાં 155 કેસ,વડોદરામાં 134 કેસ,જામનગરમાં 92 કેસ, ભાવનગરમાં 46 કેસ,મહેસાણામાં 48 કેસ,બનાસકાંઠામાં 34 કેસ,ગાંધીનગરમાં 37 કેસ,અમરેલીમાં 31 કેસ,પાટણમાં 28 કેસ,કચ્છમાં 26 કેસ,સુરેન્દ્રનગરમાં 21 કેસ નોંધાયા :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે આજે  નવા 1351 પોઝીટીવ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,38,745 થઇ છે  આજે વધુ  1334 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,18,565 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 10 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3463 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં 1351 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 10 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3463 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16717 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 89 દર્દીઓ છે જ્યારે 16628 દર્દીની હાલ સ્ટેબલ છે.  85,46  થયો છે રાજ્યમા, અત્યાર સુધીમાં 44,74,766 ટેસ્ટ કરાયા છે

 રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3,  સુરત કોર્પોરેશનમાં 2, સુરતમાં 2,પંચમહાલમાં 1,સાબરકાંઠામાં 1 , અને વડોદરામાં 1 મળીને કુલ 10  લોકોના મોત થયા હતા.

  રાજ્યમાં આજે નોંધાયેલ કોરોનાના 1351 પોઝિટિવ કેસમાં સૌથી વધુ સુરતમાં 288 કેસ, અમદાવાદમાં 193 કેસ,રાજકોટમાં 155 કેસ,વડોદરામાં 134 કેસ,જામનગરમાં 92 કેસ, ભાવનગરમાં 46 કેસ,મહેસાણામાં 48 કેસ,બનાસકાંઠામાં 34 કેસ,ગાંધીનગરમાં 37 કેસ,અમરેલીમાં 31  કેસ,પાટણમાં 28 કેસ,કચ્છમાં 26 કેસ,સુરેન્દ્રનગરમાં 21 કેસ  નોંધાયા છે

(7:28 pm IST)