Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

નાંદોદના પ્રતાપપરા ગામની ચૂલામાં કેરોસીન નાંખતી આધેડ મહિલા દાઝી જતા સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ના પ્રતાપપરા ગામની એક મહિલા ચૂલો સળગાવવા માટે ચૂલામાં કેરોસીન નાંખતા અચાનક ભડકો થતા ગંભીર દાઝી જતા તેનું મોત થયું છે.
        પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતાપપરા ગામમા રહેતા કાલીબેન રમણભાઇ વસાવા (ઉ. વ. ૬૦) પોતાના ઘરે જમવાનું બનાવવા માટે સળગાવેલા ચૂલામાં કેરોસીન નાંખતા ચૂલામાં અચાનક આગનો ભડકો થતા મહિલા ગંભીર દાઝી જતા તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલ બાદ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થતા આમલેથા પોલીસે અ.મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે

(10:54 pm IST)