Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે વધુ 1627 દર્દીઓએ સ્વસ્થ થયા: નવા 1510 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 18 લોકોના મોત :મૃત્યુઆંક 4049 થયો : કુલ 1,96,992 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 2,15,819 થયો

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 322 કેસ, સુરતમાં 249 કેસ,વડોદરામાં 174 કેસ,રાજકોટમાં 143 કેસ,ગાંધીનગરમાં 73 કેસ,મહેસાણામાં 64 કેસ,જામનગરમાં 51 કેસ,બનાસકાંઠામાં 46 કેસ,પાટણમાં 36 કેસ,ખેડામાં 32 કેસ ,પંચમહાલમાં 29 કેસ નોંધાયા :રાજયમાં હાલ 14,778 એક્ટિવ કેસ

અમદાવાદ : અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયાની સાથે રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો થઇ રહયો છે, દિવાળી પહેલા કોરોના વાયરસ ધીમો પડયો  હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં આજે 1510 નવા કેસ નોંધાતા ભારે ચિતાની લાગણી પ્રસરી છે  જોકે આજે વધુ 1627 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 1510 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 1627 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ કેસની સંખ્યા 2,15,819 થઇ છે જયારે આજે વધુ 1627 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,96,992 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 18 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4049 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 91,28 થયો છે

  રાજ્યમાં હાલ 14,778 એક્ટિવ કેસ છે, જેમાંથી 92 વેન્ટિલેટર પર જ્યારે 14,686 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે 69 324 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં 81,02,712 ટેસ્ટ કરવામાં આવ્યા છે

 રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 13, સુરત કોર્પોરેશનમાં 2,રાજકોટમાં 1 , રાજકોટ કોર્પોરેશનમાં 1 અને વડોદરામાં 1 મળીને કુલ 18 લોકોના મોત થયા છે

રાજ્યમાં આજે નોંધાયેલા  1510 નવા કેસમા સૌથી વધુ અમદાવાદમાં 322  કેસ, સુરતમાં 249 કેસ,વડોદરામાં 174 કેસ,રાજકોટમાં 143 કેસ,ગાંધીનગરમાં 73 કેસ,મહેસાણામાં 64 કેસ,જામનગરમાં 51 કેસ,બનાસકાંઠામાં 46 કેસ,પાટણમાં 36 કેસ,ખેડામાં 32 કેસ ,પંચમહાલમાં 29 કેસ નોંધાયા છે

(8:03 pm IST)