Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

નર્મદા જિલ્લામાં ૧૧ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક ૭૨૧ એ પહોચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં શનિવારે નવા ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે

 આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૧૧ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળામાં પાઈગા પોલીસ લાઈન ૦૧, હાઉસિંગ બોર્ડ ૦૧, નાંદોદના કરાઠા ૦૧ વરખડ ૦૧ , અમલેથા ૦૨ ગરુડેશ્વરના કેવડિયા કોલોની ૦૨, ડેડીયાપાડામાં સોલિયા ૦૧, ડેડીયાપાડા પો.લાઈન ૦૧ અને સાગબારાના સેલંબા ૦૧, સાથે નર્મદા જિલ્લામાં કુલ ૧૧ દર્દી પોઝિટિવ નોંધાયા છે.

 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૯ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં ૩૧ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશનમાં ૦૮ દર્દીઓ દાખલ છે. આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૬૩૯ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૭૨૧ પર પહોચ્યો છે.આજે વધુ ૪૮૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

 

(5:34 pm IST)