Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

સુરતમાં ૩ હજાર વેપારીઓને જીએસટીની નોટીસઃ પરેશાન

સુરત, તા. ૮ :. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા થોડા દિવસો પહેલા નાના વેપારીઓની એસેસમેન્ટ વર્ષ ૨૦૧૬-૧૭ની સ્કુટીનીમાં છૂટછાટ દેવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ જાહેરાત બાદ દક્ષિણ ગુજરાતમાં અંદાજે ૩ હજાર વેપારીઓને એસેસમેન્ટ માટે નોટીસ ફટકારવામાં આવી છે. વેપારીઓ પરેશાન થયા છે. ૩૧ માર્ચ સુધીમાં જવાબ આપવાની તારીખ નક્કી થઈ છે.

(3:15 pm IST)