Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

રાજપીપળા નિવાસી ડો.દમયંતીબા સિંધાનું મહિલા દિને બોટાદ ખાતે નારી રત્ન એવોર્ડથી સન્માન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લા ની સાથે સાથે અનેક જિલ્લાના કેન્સર પીડિતો માટે સતત સેવાકાર્ય કરતાં રાજપીપળાના ડો.દમયંતીબા પ્રદીપસિંહ સિંધાને તા.8 માર્ચ, મહીલા દીને બોટાદ ખાતે નારી રત્ન એવોડથી નવાજવામાં આવ્યા હતા જે નર્મદા જિલ્લા માટે ગૌરવની બાબત છે.
  ડો.દમયંતીબાને અગાઉ પણ તેમના સેવકાર્યો માટે અનેક એવોર્ડ મળ્યા છે ત્યારે આજે ખાસ મહિલા દિવસે વધુ એક વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે.સેવાકીય પ્રવૃત્તિ માટે તેઓ હર હંમેશ દોડતા રહ્યા છે જેમાં ખાસ કેન્સર પીડિતો માટેનો ઈલાજ કરી ઘણા પીડિતોને ઉભા કર્યા છે ત્યારે તેમની આવી સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી તેમને નારી રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવતા  તેમણે સૌનો બહાર વ્યક્ત કરી આવનારા વર્ષોમાં પણ તેઓ સતત આવા સેવકાર્યો કરતા રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.જોકે દેશ વિદેશ ની ધરતી પર તેમના સેવાકાર્યોની સરાહના થાય છે ત્યારે આજે વિશ્વ મહિલા દીને તેમને વધુ એક સન્માન પ્રાપ્ત થયું છે.

(10:23 pm IST)