Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

સુરતના વરાછા રોડ પર માનસિક તાણ અનુભવતી મહિલાએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું

સુરત: શહેરના વરાછા રોડ પર સંતોષી કૃપા સોસાયટીમાં રહેતા 53 વર્ષીય હંસાબેન રમેશભાઈ ખેરડીયા રવિવારે બપોરે મોટા વરાછા ખાતે સુમન સ્વર્ગ આવાસમાં સંબંધી ને ત્યાં જોવા નીકળ્યા હતા ત્યારે આવાસના ગેટ પાસે હંસાબેનને માનસિક તાણ અનુભવતા હોવાથી ઝેરી દવા પીજ ગયા હતા જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

નોંધનીય છે કે હંસાબેન મૂળ અમરેલીના વતની હતા તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે તેમના પતિ રત્નકલાકાર તરીકે કામ કરે છે આ અંગે અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:25 pm IST)