Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

નાંદોદ તાલુકામાં ૯ સહિત નર્મદા જિલ્લામાં ૧૦ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક ૭૮૦ એ પહોંચ્યો

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે,ગ્રામ્ય વિસ્તાર માં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં શુક્રવારે નવા ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે

આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ.કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૧૦ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં ટેકરા પો. લાઈન ૦૧, શક્તિવીજય સોસા. ૦૧, નવાફડીયા ૦૧ નાંદોદ ના ઓરી ૦૧ ભચરવાળા ૦૧ ટંકારી ૦૧ વડિયા ૦૧ સિસોદ્રા ૦૨ તિલકવાળા ના સેવાળા ૦૧ નર્મદા જિલ્લામાં કુલ ૧૦ દર્દી પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૪ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૦૩ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૦૮ દર્દી દાખલ છે આજે ૨૩ દર્દી સાજા થતા રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૭૩૨ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૭૮૦ પર પહોચ્યો છે.આજે વધુ ૩૯૧ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(7:21 pm IST)