Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

મતદારોને ગુમરાહ કરવા નીકળેલી કોંગીને પ્રજાએ એનો રાહ બતાવ્યો

આઠેય મતક્ષેત્રોમાં ભાજપના વિજયને વધાવતા નરહરિ અમીન

રાજકોટ તા. ૧૧ :.. ભાજપના રાજયસભાના સભ્ય શ્રી નરહરિ અમીને  આઠેય વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયને વધાવી કોંગ્રેસને ફટકારી છે. તેમણે આ જીતને કેન્દ્ર અને રાજય સરકારની પ્રજાલક્ષી કામગીરીને જનતાની મહોર સમાન ગણાવી છે.

શ્રી નરહરિ અમીને જણાવેલ કે પેટા ચૂંટણીમાં મતદારોને ગુમરાહ કરવા માટે કોંગ્રેસે જાત-જાતના ગબારા ચલાવેલ પણ મતદારોએ કોંગ્રેસને એનો પડતીનો રાહ બતાવી દીધો છે. પ્રજાલક્ષી રચનાત્મક કામગીરી કરવાના બદલે માત્ર આક્ષેપો આધારિત જ પ્રચાર કોંગ્રેસને ભારે પડયો છે. ભાજપના કાર્યકરોનો આયોજન પૂર્વકનો પરિશ્રમ લેખે લાગ્યો છે. કમળ તરફી જંગી મતદાન કરી મતદારોએ વધુ એક વખત વિકાસની રાજનીતિનું સમર્થન કરે છે.

(11:35 am IST)