Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

રાજપીપળા મિત ગ્રુપના પ્રેરણાસ્ત્રોત જતિનભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કરી શુભેચ્છાઓ અપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : મિતગ્રુપ ના વડીલ અને જેમની પ્રેરણાથી સેવાભાવી મિતગ્રુપના યુવાનોને સેવાકાર્ય કરવાની પ્રેરણા મળી છે જેમણે મિતગ્રૂપના તમામ સભ્યોમાં સદભાવના સેવા અને સંસ્કારોનું સિંચન કર્યું છે તેવા મિત ગ્રુપના વડીલ જતીનભાઈ શાહનો તા.11 ઓક્ટોમ્બરના રોજ જન્મ દિવસ હોવાથી મિતગ્રુપ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
જેમાં મિતગ્રુપ પ્રમુખ જીજ્ઞેશભાઈ વસાવા,અજિતભાઈ વસાવા,અજયભાઈ વસાવા,આશિષભાઈ વસાવાએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.વર્ષોથી સેવાભાવિ મિતગ્રુપ દ્વારા સેવાકાર્યો ચાલુ કરાયા છે જેમાં આજે અનેક જિલ્લામાં સેવા ભાવી મિત્રોએ જોડાઈને ગુજરાતભરમાં નામના મેળવી છે અને લોક આશીર્વાદ મેળવ્યા છે એ તબક્કે મિતગ્રુપના પ્રેરક એવા જતિનભાઈ શાહના ગ્રૂપના તમામ સભ્યો ઋણી રહી  મિતગ્રુપ તરફથી જતિનભાઈ શાહ ને જન્મદિવસ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

(10:34 pm IST)