Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરાએ વર્ચુઅલ માધ્યમથી રેલવેની મુસાફરોની સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું

ભાવનગર : કુંડલી, રાણપુર, ચુડા, લિમ્બડી, વઢવાણ સિટી, જોરાવરનગર અને સુરેન્દ્રનગર ગેટ સ્ટેશનો પર દિવ્યાંગજન માટે શૌચાલયની મુસાફરી સુવિધાનું ઉદ્ઘાટન સાંસદ-સુરેન્દ્રનગર, ડો.મહેન્દ્રભાઇ મુંજપરા દ્વારા કરાયું હતું.
 સાંસદે ઉપરોક્ત સ્ટેશનો પર થઈ રહેલા વિકાસ કામો અંગે સંતોષ વ્યક્ત કર્યો અને મંડલ રેલ પ્રબંધક પ્રતીક ગોસ્વામીનો આભાર માન્યો. તેમણે કહ્યું કે જનરલ વાર્ડમાં શૌચાલય માટે દિવ્યાંગજનો કેટલો સામનો કરવો પડે છે, તે દિવ્યાંજન જાતે જ સમજી શકે છે અથવા હું ડો. રિતે અથવા રેલવે સમજી શકે છે.
ઉપરોક્ત ઉદઘાટન મંડલ રેલ પ્રબંધક  પ્રતીક ગોસ્વામીની અગુવાઈમાં વર્ચુઅલ માધ્યમ દ્વારા કરવામાં આવ્યું હતું.તેમ માશૂક અહમદવરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક                               ભાવનગર પરાની યાદોમાં જણાવાયું છે 

(8:36 pm IST)