Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને અમદાવાદના દાણીલીમડાના કોîગ્રેસના કોર્પોરેટર શહેઝાદ ખાનને કોરોનાઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપ કાર્યાલય મંત્રી પ્રશાંત કાપડિયાનું અવસાન

અમદાવાદ: કોરોના વાઈરસની બીજી લહેર ગુજરાતમાં સતત આતંક મચાવી રહી છે. આ જીવલેણ વાઈરસથી સામાન્ય નાગરિકોથી માંડીને મોટા-મોટા નેતાઓ પણ સંક્રમિત થઈ ચૂક્યાં છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા કોરોનાથી સંક્રમિત થતાં તેમને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનો કોરોનાનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ તેમણે પોતાના સંપર્કમાં આવેલા તમામને પોતાના કોરોના ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી છે. આ સિવાય દાણીલીમડાથી કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ ખાનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ સિવાય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ કાર્યાલય મંત્રી પ્રશાંત કાપડિયાનું પણ કોરોનાના કારણે નિધન થયું છે. પ્રશાંત કાપડિયા કોરોનાથી સંક્રમિત થયા બાદ શહેરની SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જ્યાં મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

(4:49 pm IST)