Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજકો દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

પ્રતિકારક શક્તિ વધે તે હેતુથી વિરમગામ અને મદ્રીસણા ગામમાં વિતરણ કરવામાં આવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વીરમગામ નગર સંયોજક નીલેશ રાણા, કીરણ સોલંકી દ્વારા લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુ થી વિરમગામના વિવિધ વિસ્તારમાં આયુર્વેદિક ઉકાળાનું વીતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં સહ સંયોજક રાહુલ  નંદપાલ, જયદીપ મકવાણા સહિત અન્ય લોકો મદદરૂપ બન્યા હતા.

 આ ઉપરાંત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના દેત્રોજ તાલુકા સંયોજક ચૈતન્ય   સાતિશપ્રસાદ ભટ્ટ, અમિતજી પરબતજી  ઠાકોર તથા હેમાબેન વ્યાસ દ્વારા દેત્રોજ તાલુકાના મદ્રીસણા  ગામમાં  લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુથી ઘરે ઘરે જઈને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(6:29 pm IST)