Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

વિરમગામના મુનસર તળાવ અને પક્ષી અભયારણ્ય નળસરોવરનો પર્યટક સ્થળ તરીકે વિકાસ કરવા રજૂઆત

વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાને રજૂઆત કરાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ  શહેરના મુનસર તળાવ તેમજ વિરમગામ તાલુકાના નળસરોવર ને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા માટે મંગળવારે ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાને ગાંધીનગર ખાતે  રૂબરૂ મળીને વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામના ઐતિહાસીક મુનસર તળાવ અને વિશ્વવિખ્યાત પક્ષી અભયારણ્ય નળ સરોવરનો વિકાસ કરવામાં આવે તેમ નાગરીકો ઇચ્છી રહ્યા છે.

(9:12 am IST)