Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

રાજ્યમાં કોરોના થાક્યો : વધુ 738 દર્દીઓ સ્વસ્થ થયા : નવા 535 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 3 લોકોના મોત : મૃત્યુઆંક 4360 થયો : કુલ 2,43,639 લોકોએ કોરોનાને હરાવ્યો

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 109 કેસ, સુરતમાં 94 કેસ, વડોદરામાં 101 કેસ, રાજકોટમાં 78 કેસ, ગાંધીનગરમાં 15 કેસ, જૂનાગઢમાં 13 કેસ, દાહોદમાં 12 કેસ, જામનગરમાં 11 કેસ, કચ્છમાં 10 કેસ નોંધાયા : હાલમાં રાજ્યમાં 6850 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 535 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 738 દર્દીઓ રિકવર થયા છે  છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા 1000થી ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 535 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 738 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,43,639 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 3 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4360 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 95,60 થયો છે

  રાજ્યમાં હાલ 6850 એક્ટિવ કેસ છે. જેમાંથી 55 દર્દીઓ વેન્ટિલેટર પર છે  જયારે 6795 દીઓ સ્ટેબલ છે,

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1, રાજકોટમાં 1,અને સુરત કોર્પોરેશનમાં 1 મળીને કુલ 3 લોકોના કોરોનાથી મોત થયા છે 

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 535 પોઝિટિવ  કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 109 કેસ, સુરતમાં 94 કેસ,વડોદરામાં 101 કેસ, રાજકોટમાં 78 કેસ, ગાંધીનગરમાં 15 કેસ,જૂનાગઢમાં 13 કેસ,દાહોદમાં 12 કેસ, જામનગરમાં 11 કેસ,કચ્છમાં 10 કેસ નોંધાયા છે

(7:36 pm IST)